22 December, 2009

Nature Says Something To We The People Of The World (Three Pictures)

1. Now

2. Later



3. And At The Last, The Sun Will be Getting Useless When Fatal Dakness Begins

15 December, 2009

ગળામાં લટકેલું પ્યોર સેકયુલરિઝમ (બે તસવીર)



એલિસ બ્રિજના વિકટોરિયા ગાર્ડનવાળા છેડાથી લાલ દરવાજા તરફના વળાંકવાળા રસ્તા પરની કીટલી પર કામ કરતા ૧૯ વર્ષને અડું અડું થતા આ છોકરાને શું કહીશું? હિન્દુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી, કારણ કે ગરીબીને કોઇપણ ધર્મમાં વાંધો નથી આવતો, બસ સરકાર એનો રસ્તો ના રોકે એટલું જ એને જોવાનું હોય છે. ચાની ચૂસકી લેતાં સીધું જ છોકરાને પૂછ્યું, ‘આવી ચૅઇન (હિન્દુ, મુસ્લિમ, ખિ્રસ્તીનાં ધાર્મિક પ્રતીકોવાળી) કેમ પહેરી છે?’ એકદમ હળવાશથી, ‘લારી પર ઘણીબધી ચૅઇન જોઇ, એમાંથી આ બહુ ગમી ગઇ એટલે પૈસા આપીને પહેરી લીઘી.’ જવાબ ગમી ગયો એટલે બીજું કંઇ પૂછ્યું નહિ. પછી એ એની મસ્તીમાં કામ કરવા લાગ્યો, ને હું આદર્શવાળા વિચારોમાં ખોવાઇ ગયો.

30 October, 2009

Liquor & Family



સાબરકાંઠા જિલ્લાના વડાલી ગામમાંથી પસાર થતા નૅશનલ હાઇ-વેની ફૂટપાથ. ફૂટપાથ પર એક ગ્રામીણ પરિવાર. પરિવારમાં પાંચ છોકરાં ને પતિ-પત્ની. સમય રાત્રિના ૭:૩૦ વાગ્યાનો. આ પરિવાર છેલ્લા ત્રણ કલાકથી કબોસણી ગામે જવા માટે બેઠો છે. આ પરિવાર કોઇ વાહનની વાટ નથી જોતો, પણ વાટ જુએ છે, તો બસ ચિક્કાર દારૂ પીને લુડકી ગયેલા પતિ-પિતાને હોશમાં આવવાની. હોશમાં આવ્યા પછી વાહન મળશે કે નહ એ ચતા તો વધારાની, કારણ કે ૭:૩૦ વાગ્યા પછી વડાલીથી કબોસણી માટે વાહન મળવું બિલકુલ અઘરું. સારું છે કે ગુજરાતમાં દારૂબંધી છે એટલે આવી તસવીર પાડવાનો કુ-સમય કયારેક જ આવે છે.

18 August, 2009

ગાંધીટોપી પર જય ભીમ / Jai Bhim on Gandhi Topi (cap) ( 6 Pictures & Text)


(1)

ગાંધી અને આંબેડકરમાં એક બાબત સરખી હતી : દલિતહિત. બંન્નેએ દલિત એજન્ડાને નૅશનલ એજન્ડા બનાવી અસ્પૃશ્યતાનિવારણ માટે પોતાની રીતે લડત ચલાવી. બંન્નેની લડત સામસામે આવતા તણખા પણ ઝર્યા. બંન્નેના ગયા પછી મોટ્ટાભાગના આંબેડકરવાદીઓએ અને ગાંધીવાદીઓએ આ તણખાઓને જ લડત માની લાધી. પરિણામ એ આવ્યું કે આંબેડકરવાદીઓ માટે ગાંધી તોછડા બન્યા અને ગાંધીવાદીઓ માટે આંબેડકર. આ તણખાને બાજુ પર મૂકીએ, ખરેખર મૂકવા જેવા છે, તો ગાંધી-આંબેડકરના સમન્વયથી ખોરંભાયેલા દલિતહિતને નવી દિશા મળવાની શકયતા બુટ્ટો ન કહેવાય. અલબત્ત, ગાંધી-આંબેડકરના સમન્વયનો વિચાર આજ ભલે બુટ્ટો લાગે, પણ આ દિશામાં પ્રયાસ થઇ રહ્યા છે. એમાંનું એક પગલું તારીખ ૧૭-૮-૨૦૦૯, મેલું પ્રથા નાબૂદી દિનના દિવસે નવસર્જને ભર્યું. ગાંધીઆશ્રમમાં નવસર્જને યોજેલા કાર્યક્રમમાં ગુજરાતના ૪૩ તાલુકામાંથી આવેલાં વાલ્મીકિસમુદાયનાં બાળકોએ જય ભીમ લખેલી ગાંધીટોપી પહેરી સમાજ અને શાળામાં જ્ઞાતિને લઇને થતા કડવા અનુભવોને જયુરી સમક્ષ રજૂ કર્યા. તેમના કડવા અનુભવો નીચેની તસ્વીરોમાં પણ વ્યકત થયા છે. વળી, ગાંધી-આંબેડકરની વિચારધારાથી અજાણ આ બાળકોએ પહેરેલી જય ભીમ લખેલી ગાંધીટોપી પર મોટેરાઓના વિચાર પણ પરખાયા વિના રહેતા નથી.

Jury Members : 1. Justice R. A. Mehta – Former Acting Chief Justice of Gujarat 2. Ms. Kmalaben Gurjar – Honorable Member of National Commission for Safai Karmcharies 3. Ishwarbhai Patel – Former Member of National Commission for Safai Karmcharies 4. Martin Macwan – Founder of Navsarjan 5. Ms. Mari Thekakara – Writer and JournalistProf. 6. Ghanshyam Shah – Political Scientist
(The rest pictures are below)
2


4

5

6

25 July, 2009

ગાંધીના અપમાનને સાંખી લેતા ગાંધીમૂલ્યરખેવાળો / (Hooch Tragedy)


લઠ્ઠાકાંડે ફરી એકવાર છડેચોક સાબિત કરી દીધું, કે ગુજરાતમાં સરકાર અને ગાંધીમૂલ્યરખેવાળો નિષ્ફળ ગયાં છે. સરકારને કંઇ કહેવાપણું નથી, મદગ્રસ્તને તો કયાં કશું સંભળાય છે? અને ગાંધીમૂલ્યરખેવાળોની નિષ્ફળતાની હવે ટેવ પડી ગઇ છે. અલબત્ત, ટેવમુકિતની આશા હજી છેક ઠગારી નીવડી નથી, છતાં ગાંધીમૂલ્યોરખેવાળોની લાંંબાગાળાની ચુપ્પી, વિશેષ તો ગૂજરાત વિદ્યાપીઠની, અકળાવનારી રહી. આ અકળામણનાં બે કારણ ઃ એક, ગુજરાતમાં દારૂબંધી જેવું લાગતું નથી, મહાત્મા ગાંધીના આ અપમાનને ગાંધીમૂલ્યરખેવાળોએ સાંખી લીધું. બે, ડાૅ. આંબેડકરે પણ સ્વીકાર્યું હતું કે, , ‘after all the untouchables, according to all of us, were the nearest and dearest to him (Gandhi).’ {Rajya Sabha Debates, 6 September, 1954 (Courtesy : Manu, Gandhi and Ambedkar and Other Essays, 1995 by Madhu Limaye, P. 19)} લઠ્ઠાકાંડમાં મરનારાઓમાં ગાંધીના nearest and dearest દલિતોની સંખ્યાનું પ્રમાણ ખાસ્સું, મહાત્મા ગાંધીના આ અપમાનને પણ ગાંધીમૂલ્યરખેવાળોએ સાંખી લીધું.


સ્હેજ પોરો ખાવા જેટલું સુખ એટલું કે તા. ૨૪-૭-૨૦૦૯ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે મજૂર ગામના ડાૅ. આંબેડકર ચોક, ત્રણ રસ્તા પર પાંખી હાજરીમાં ગૂજરાત વિદ્યાપીઠે લઠ્ઠાકાંડમાં ભોગ બનેલાં કુટુંબોને દિલાસો આપવા પ્રાર્થનાસભા રાખી. ગૂજરાત વિદ્યાપીઠ મોડી મોડી કેમ જાગી? જવાબમાં ગૂજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર સુદર્શન આયંગારે શબ્દે શબ્દે ભાર મૂકતાં જણાવ્યું કે, ‘એવું નથી, અમે કોઇના પર કમ્પલસન નથી મૂકવા માંગતા, જેને સંવેદના થાય તે આમાં જોડાય.’ ગૂજરાત વિદ્યાપીઠની હવે પછીની ભૂમિકા શું રહેશે? ‘આ ધીરજપૂર્વકનું, લાંબાગાળાનું કામ છે જેને નિયતપૂર્વક, સાતત્યપૂર્વક કરવાની નીતિ છે. એક વાકયમાં કહેવું હોય તો જે-તે વિસ્તારોનું ચયન કરી તે વિસ્તારમાં દારૂનું વ્યસન કેવી રીતે ઘટાડવું તે.’ આશા રાખીએ કે ગૂજરાત વિદ્યાપીઠ તેની ભૂમિકામાં ખરી ઉતરે. સાથે સાથે એટલું ઊમેરણ કરી લઇએ કે ઊપરની તસવીરમાં જે ત્રણ બાળકો દેખાય છે તેમાંથી વિશાલે આસમાની શર્ટ પહેર્યો છે. તેની ઉંમર બે વર્ષની. માતાપિતાનો એકનો એક દીકરો. પિતા કાન્તિભાઇ સોમાભાઇ આયર લઠ્ઠાકાંડમાં માૃત્યુ પામ્યા. કાન્તિભાઇ સાડીઓ પર રંગકામ કરતા. વિધવા મા કેવી રીતે વિશાલને ઉછેરશે? કેવી રીતે સારું ભણાવશે? તસવીરમાં વચ્ચે કાજલ છે, ઉંમર ત્રણ વર્ષ, અને જમણી બાજુ ભાવિકા, ઉંમર પાંચ વર્ષ. બંને પુરુષોત્તમભાઇ જયંતીભાઇ રહેવરની દીકરી. કડિયાકામ અને છૂટક મજૂરી કરતા પુરુષોત્તમભાઇએ લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવ્યો. વિધવા મા કાજલ અને ભાવિકાને કેવી રીતે ઉછેરશે? કેવી રીતે સારું ભણાવશે? આ બંને પ્રશ્નો લઠ્ઠાકાંડનો ભોગ બનેલાં મોટાભાગનાં કુટુંબોને લાગુ પડે છે. ગૂજરાત વિદ્યાપીઠ આવાં કુટુંબોનું ચયન કરી તે કુટુંબોનાં બાળકો, તરુણોના શિક્ષણની જવાબદારી ઊપાડી લે તો ગાંધીમૂલ્ય તો જળવાશે, સાથે સાથે મોટાભાગના દલિતોમાં જે બેફામ ગાંધીવિરોધ છે એમાં કંઇક અંશે (વિશેષ તો જે-તે વિસ્તારના બધા નહિ તો કેટલાક દલિતોમાં) હકારાત્મક ફેર પડશે એવી અપેક્ષા વધારે પડતી નહિ કહેવાય.

18 May, 2009

એ. પી. એલ અને બી. પી. એલ. વચ્ચેની ભાગ્યરેખા / The ãdivãsi Fishermen (13 Pictures & Text)

1

ઊકાઇ ડૅમ બન્યો, એનો લાભ મળ્યો, પણ રહી ગયો સ્થાનિક આદિવાસી સમાજ, ચાર ચાર દાયકા વીતવા આવ્યા પછી પણ અહનો આદિવાસી સમાજ અભાવના સૂકાભઠ્ઠ ઘૂંટડા ગળી રહ્યો છે. એકસમયના જમીનમાલિકોમાંથી લગભગ ‘પચાસ ટકાથી સિત્તેર ટકા’ આદિવાસી શેરડીકામદારો છે, ઘણા ખેતમજૂરો છે, તો કેટલાક માછીમારો છે. તેમાંય માછીમારોની તકલીફોમાં હવે તો ધરખમ વધારો થઇ ગયો છે અને થઇ રહ્યો છે. માછીમારી માટે ડૅમનો અમુક જળવિસ્તાર છેલ્લા એકાદ વર્ષથી કાૅન્ટ્રેકટ પર આપી દેવામાં આવ્યો છે. કાૅન્ટ્રેકટરને માછીમારી માટે ‘સીઝન પ્રમાણે કે ચાર મહિનાના કે આઠ મહિનાના દસ હજાર કે પંદર હજાર કે પચ્ચીસ હજાર’ આપવાના કહે છે. આનું પરિણામ એ આવ્યું કે માંડમાંડ બે ટંકનું રળી ખાતા માછીમારોમાંથી મોટાભાગના આજે શેરડીકામદારો બન્યા છે, બની રહ્યા છે. આ વિસ્તારના શેરડીકામદારોના વસમા જીવનથી આપણે કંઇક અંશે પરિચિત છીએ એટલે એમાં પડવું નથી. વળી, આમતેમ કરીને પૈસા ભરવા છતાં પણ માછીમારીથી તેમનાં જીવનમાં કંઇ સુધારો નથી આવ્યો. માછીમારો અને સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે, ડૅમમાં દર વરસે માછલીઓ નખાતી નથી અને નખાય છે તો તેનું પ્રમાણ ઘણું ઓછું છે. હવે એના વિશે વધુ તો કંઇ કહેવું નથી, પણ તાપી જિલ્લાના નિઝર તાલુકાનાં હાથનૂર તેમ જ આજુબાજનાં ગામોના કેટલાક માછીમારોની માછીમારી કરતી ૧૨ અને કામ આટોપીને ઘરે જતા માછીમારોની ૨, એમ કુલ ૧૪ તસવીરો છે, આ તસવીરોમાંથી માછીમારોનાં વ્યવસાયિક જીવનનો કંઇક અણસાર મળી રહેશે. આ તસવીરોનો હેતુ એટલો જ કે, એ. પી. એલ. (અબોવ પાવર્ટી લાઇન) અને બી. પી. એલ. (બિલો પાવર્ટી લાઇન) વચ્ચે રહેલી પાતળી રેખાને અહના ગરીબ આદિવાસીઓની ભાગ્યરેખા માની ચાલતા ‘આગવા ગુજરાત’નું કે ‘ર્સ્વિણમ ગુજરાત’નું ધ્યાન તેમના તરફ, જવાબદારી હોવા છતાં ગયું નથી કે જવાનું નથી, પણ આપણે તો એક નજર નાખીએ. અલબત્ત, તસવીરોમાં આવું કંઇ સ્પષ્ટ નથી, પણ અસ્પષ્ટતાઓમાંથી કેટલીક સ્પષ્ટતાઓ થવાની શકયતાઓ પર પૂરેપૂરા વિશ્વાસ સાથે. (કુલ ૧૪ તસ્વીર)
 2
 3
 4
 5
 6
 7
 8
 9
 10
 11
 12
 13